Sunday, September 4, 2011

Public Relation

Tuesday, May 24, 2011

प्यार क्या होता है?

                                                 रस्ते पर एक चिडिया घायल हो के पड़ी थी|
                                         उसके साथी नर चिड़िया ने आके उसको खाना खिलाया|
                                           खाना खिलने के थोड़ी देर में वो मादा चिड़िया मर गई|
                                               नर चिड़िया उसे उठाने की कोशिश करता है| 
                          थोड़ी ही देर में उससे पता लग जाता है की उसकी साथी अब नहीं उठेगी|
                                      तो वोह उसे उठाके रोड के बाजु में रखने का प्रयास करता है|
                        आखिर में थक हार के वोह उसके पास ही खड़ा होके दुखी होके चिल्लाने लगा|


            ज के ज़माने में इंसानों में भी इतना प्यार कहा पाया जाता है? 

Wednesday, April 6, 2011

વિસરાયેલા ઘડવૈયાઓનું મંદિર... "ક્રાંતિ તીર્થ"

ગુજરાત રાજ્યનાં કચ્છ પ્રદેશ માં આવેલા માંડવી પાસે, ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલું આ મેમોરીઅલ ખુબજ રમણીય છે. માંડવી શહેરથી આશરે ૫ કિલોમીટર દુર ૪ એકર માં બનાવવામાં આવેલું આ સંકુલ રણ ની વચ્ચોવચ હરિયાળીની પ્રતીતિ કરાવે છે. આ સંકુલ ને 'ક્રાંતિ તીર્થ' નામ આપવા માં આવ્યું છે. આ સંકુલ મુખ્યત્વે શ્યામજી કૃષ્ણ વર્મા ની યાદ માં બનાવવામાં આવ્યું છે.

શ્યામજી કૃષ્ણ વર્મા અતીતના અંધકાર માં ખોવાઈ ગયેલ એક એવું નામ કે, જેમણે પોતાના જીવન કાળ દરમિયાન પોતાના રાષ્ટ્ર ને આઝાદ કરવાનું સ્વપ્ન જોયું હતું. અને પોતાનું સંપૂર્ણ જીવન આ સ્વપ્નને સાકાર કરવા સમર્પિત કરી દીધું હતું. આમ, જોવા જઈએ તો આપણી આઝાદી ના ઘડતર માં શ્યામજી કૃષ્ણ વર્મા નો ખુબ મોટો ફાળો રહેલો છે. તેમણે ભારત ની બહાર વિદેશ માં રહી ને વિદેશીઓને ભારત ના જનમાનસમાં રહેલી આઝાદીની તિવ્ર ઈચ્છા વિશે માહિતગાર કર્યા હતા. આજની પીઢી માં લગભગ કોઈ ને એ વાત નો ખ્યાલ નહિ હોઈ કે ભારતનો રાષ્ટ્રધ્વજ નવી દિલ્હી માં નહિ પરંતુ, લંડન માં શ્યામજી કૃષ્ણ વર્માએ બનાવેલા ઇન્ડિયા હાઉસ માં મેડમ કામાના હાથે લહેરાયો હતો.

ખૂબીની વાત તો એ છે કે આઝાદી બાદ પ્રથમ સંસદ માં ૫૦ થી વધું સાંસદો એવા હતા કે, જેઓ શ્યામજી કૃષ્ણ વર્મા અને સરદારસિંહ રાણા દ્વારા અપાતી શિષ્યવૃતિ ની મદદ થી વિદેશમાં અભ્યાસ કરી શક્યા હતા. તેમ છતાં આઝાદી ના ૬૦ વર્ષ સુધી શ્યામજી કૃષ્ણ વર્મા એ ભુલાયેલું નામ હતું. આ પ્રખર વિચારક અને ક્રાંતિવીરના અસ્થી ૬૦ વર્ષ થી જીનીવામાં રાહ જોઈ ને પડ્યા રહ્યા હતા. ૨૦૦૨ માં ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રયાસોથી આ અસ્થીકળશ ભારત માં આવ્યા. જીનીવા થી મુંબઈ અને મુંબઈ થી માંડવી સુધીની આ યાત્રાને 'વીરાંજલી યાત્રા' નામ આપવા માં આવ્યું હતું. શ્યામજી કૃષ્ણ વર્માની આખરી ઈચ્છા હતી કે " મારા અસ્થી સ્વતંત્ર ભારતમાં જ લઇ જવા." જે શ્રી નરેન્દ્ર મોદી એ પૂર્ણ કરી.



આ સંકુલમાં પ્રવેશ કરતા ની સાથે એક અજબ શાંતિ અને શીતળતાનો અનુભવ થાય છે. પ્રવેશની સાથે જ સૌ પ્રથમ એક આકર્ષક ફુવારો દ્રશ્યમાન થાય છે. ત્યારબાદ અંદર ઈમારતમાં પ્રવેશ કરતાની સાથે શ્યામજી કૃષ્ણ વર્મા અને તેમની પત્નીનું પુતળું નજર સમક્ષ આવે છે, તેની બરાબર પાછળ તેમણે લંડનમાં સ્થાપેલા ઇન્ડિયા હાઉસની પ્રતિકૃતિ જોવા મળે છે.ડાબા હાથ તરફ મુખ્ય પ્રદર્શની કક્ષ બનાવવામાં આવેલ છે. જેમાં પ્રવેશ કરતાની સાથે જ ગુજરાત ના નકશા પર વીરાંજલી યાત્રાનો પથ અંકિત કરેલો દેખાય છે. આ કક્ષમાં વીરાંજલી યાત્રાના સ્મૃતીચિત્રો રાખવામાં આવેલા છે. જે વીરાંજલી યાત્રાની યાદ તાજી કરાવે છે. ત્યાર બાદ વચ્ચેના કક્ષમાં શ્યામજી કૃષ્ણ વર્મા અને તેમના ધર્મપત્નીના અસ્થીકળશને ખુબ જતન થી કાંચની કલાત્મક પેટીમાં રાખવામાં આવેલા છે. ત્યારબાદના કક્ષમાં સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ અને શ્યામજી કૃષ્ણ વર્મા ના આદમ કદ ની તસ્વીરો મૂકી ને તેમના જીવન વિશે ની માહિતી આપવામાં આવી છે.

ત્યાર બાદ તે વિભાગ માંથી બહાર નીકળ્યા બાદ ત્યાં બનાવેલા ઇન્ડિયા હાઉસમાં જતી વખતે, ખરેખર લંડનના ઇન્ડિયા હાઉસમાં જતા હોઈ તેવો અહેસાસ થાય છે.

ઇન્ડિયા હાઉસ જે ત્રણ માળની ઈમારત છે, તેમાં પ્રવેશ કરતાની સાથે ડાબા હાથ પર પુસ્તકાલય બનાવેલું છે.જેમાં સ્વતાન્ત્ર્યાવિરો અને ક્રાંતિકારીઓ વિશેના પુસ્તકો ઉપલબ્ધ કરાવ્યા છે. તેની સામેની બાજુ એ ટી.વ્હી. હોલ બનાવ્યો છે. જેમાં શ્યામજી કૃષ્ણ વર્માના જીવન પર બનાવવામાં આવેલી ડોક્યુમેન્ટ્રી બતાવવામાં આવે છે. બીજા માળ પર ૧૮૫૭ના વિગ્રહના લડવૈયાઓ અને નેતાઓની તસ્વીર મૂકીને તેમની વિશે માહિતી આપવામાં આવી છે. ઈમારતના ત્રીજા માળ પર આઝાદીના એવા નેતાઓની તસ્વીરો મુકવામાં આવેલી છે જેઓએ ખુબ મહત્વનો ભાગ ભજવ્યો હોવા છતાં તેઓ ખુબ ઓછા જાણીતા છે. ત્રીજા માળની બારીમાંથી સમુદ્રનું જે નયનરમ્ય દ્રશ્ય જોવા મળે છે તે અત્યંત આહલાદક છે.

ત્યાંથી બહાર નીકળ્યા બાદ તેની બાજુમાંજ કાફેટેરિયા બનાવવામાં આવ્યું છે. જ્યાં ખાણીપીણીની સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. કાફેટેરિયાની બાજુમાં ઓપન એર નાટ્યમંચ બનાવવામાં આવ્યો છે. અહી આઝાદીના સમયકાળના નાટકો ભજવવામાં આવે છે. તેની બાજુમાં કચ્છનો નકશો અને તેમજ કચ્છની જીવનશૈલી દેખાડવા માં આવી છે. અહિ, કચ્છી હસ્તકલા ને પ્રોત્સહન આપવા માટે એક દુકાન પણ બનાવવામાં આવી છે.

આ સંપૂર્ણ સંકુલની વ્યવસ્થા જી.એમ.ડી.સી. સંભાળે છે, અને ખરેખર આ સંકુલ જોયા બાદ એવું લાગે કે આપણે ક્યાંક વિદેશ માં હોઈએ. ખુબ સરસ વ્યવસ્થા ના કારણે આ મેમોરીઅલ નું મહત્વ જાગરૂકતા ના લીધે પણ વધી જાય છે.

Misson Balshali Gujarat

વિદ્યાર્થીઓ દ્વારા શુરુ કરાયેલ મિશન બલશાલી ગુજરાત નો ભારે સફળતા સાથે પુર્ણાહુતી.


એન્જીનીયરીંગ ના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત ના યુવાનોમાં સશસ્ત્ર બળોમાં જોડાવા માટે જાગૃતિ લાવવા માટે જે અભિયાન હાથ ધાર્યું હતું તેનું શુક્રવારે ભારે સફળતા સાથે પુર્ણાહુતી કરી હતી. એન.સી.સી. ના સીનીઅર અંડર ઓફિસર સુમિત ટેમ્બે, કેડેટ વોરંટ ઓફિસર ધવલ જોશી, આદિ જૈન અને મહર્ષિ ઓઝા દ્વારા શુરુ કરાયેલ અભિયાન ને
વિદ્યાર્થીઓ અને કોલેજો તરફ થી ખુબજ સરસ પ્રતિસાદ મળ્યો હતો.


આ અભિયાન નો હેતુ ગુજરાતમાંથી યુવાનો ખુબજ ઓછા પ્રમાણમાં સૈન્યમાં જોડાય છે, તો સામે જેમને જોડાવાની ઈચ્છા હોઈ છે તેઓ સાચા માર્ગદર્શનના અભાવે સૈન્યમાં જોડાઈ શકતા નથી. તો આવા યુવાનોમાં સૈન્યમાં જોડવા બાબતે જાગૃતિ લાવવી અને યોગ્ય માર્ગદર્શન ક્યાંથી અને કેવી રીતે મેળવવું તેની માહિતી આપવી હતો. આ ઉપરાંત આ અભિયાનમાં અલગ અલગ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ ને સૈન્યમાં કેવી રીતે અને કઈ પ્રકારે તકો ઉપલબ્ધ છે તે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મિશન બલશાલી ગુજરાત નો એક હેતુ એ પણ હતો કે ભારતના સૈન્યમાં ગુજરાત રાજ્યની કોઈ રેજીમેન્ટ નથી, તો આ પ્રકારે યુવાનોમાં જાગૃતિ કેળવી અને જેમ બને તેમ જલ્દીથી ગુજરાત ની રેજીમેન્ટ બનાવવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવું.


આ અભિયાનનું ઉદ્ઘાટન સાઉથ-વેસ્ટ રીઝનના એર માર્શલ ગોગોઈ ના હસ્તે, ઇન્ડસ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગ ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી નાગેશ ભંડારી, નિવૃત એર માર્શલ દેસાઈ, નિવૃત કર્નલ ફલ્નીકર, વયોવૃધ ડૉ. ભગવતીબેન ઓઝા અને ઈ+ ફાઉન્ડેશનના શ્રીમતી ટેમ્બેની હાજરી માં કરાયું હતું. ઉદ્ઘાટનના ભવ્ય કાર્યક્રમમાં એર માર્શલ શ્રી ગોગોઈએ જણાવ્યું કે યુવાનો દ્વારા યુવાનોને જાગૃત કરવાનું કાર્ય ખરેખર પ્રશંસનીય છે, અને આવા આયોજન બદલ તેમણે આ ચાર વિદ્યાર્થીઓ અને કોલેજને અભિનંદન આપ્યા હતા. અને ભવિષ્યમાં આવા આયોજનો કરવા માટે સૈન્ય તરફ થી જોઈતી મદદ કરવા માટેની પણ તૈયારી દર્શાવી હતી. ત્યાર બાદ અહીંથી ૫ કાર રેલી સ્વરૂપે અલગ અલગ કોલેજો માં ફરી અને યુવાનોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ કાર્યમાં તેમની સાથે નિવૃત એર માર્શલ એ.કે.દેસાઈ અને કર્નલ ફલ્નીકર સાથે રહ્યા હતા અને વિદ્યાર્થીઓને તેમના સૈન્યના અનુભવો અને સૈન્યની લાઈફ સ્ટાઈલ વિષે વાત કરી હતી. એર માર્શલ શ્રી દેસાઈના જણાવ્યા અનુસાર એર ફોર્સમાં જોબ મેળવવી જેટલી અઘરી છે તેટલી જ ત્યાંની જિંદગી આરામદાયક અને સમ્માન ભરી છે. કર્નલ દેસાઈના કહેવા અનુસાર "સૈન્ય એ સમ્માન નો પર્યાય" છે. વધુમાં જણાવતા શ્રી દેસાઈ કહે છે કે, ગુજરાતમાં એવી માન્યતા પ્રવર્તે છે કે સૈન્યમાં જોડાવું એટલે સીમા પર જઈને લડવું, મરવું અથવા મારવું પરંતુ ખરેખર એવું નથી હોતું. સૈન્યમાં ગ્રાઉન્ડ સ્ટાફ પણ ખુબજ મહત્વ નું છે અને તેમાં પણ કારકિર્દીની ઘણી તકો રહેલી છે. માટે એ માની લેવું કે સૈન્યમાં જવું એટલે લડાઈ કરવી અને મરવું મારવું એવુજ નથી.
ત્યારબાદ કર્નલ ફલ્નીકરના કહેવા અનુસાર જીવન તમને જીવતા શીખવે છે, કોઈ પણ પરિસ્થિતિ નો કઈ રીતે સામનો કરવો અને તેમાંથી કઈ રીતે બહાર આવવું તે સૈન્યમાં સીખવા મળે છે. આ ઉપરાંત સૈન્યમાં જોડાવ એટલે સમાજમાં તમે એક વિશિષ્ઠ સ્થાન પ્રાપ્ત કરો છો. માટે સૈન્યને જીવન ઘડતરનું માધ્યમ ગણવું જોઈએ. તેમણે એમ પણ ઉમેર્યું કે, રાષ્ટ્ર ના તમામ યુવાનો જો ગુજરાતના યુવાનો ની જેમ વિચાર કરે તો વિચાર કરો કે રાષ્ટ્રની શું દશા થશે? આજે દેશના યુવાનો બહાદુરી પૂર્વક દેશની સીમાઓ નું રક્ષણ કરે છે માટે આપને બધા આરામથી પોતાનું જીવન જીવી શકીએ છીએ.


ડૉ. ભગવતીબેન ઓઝાએ તેમના વક્તવ્ય માં જણાવ્યું કે તેઓ એન.સી.સી.ના કેડેટ હતા. અને એન.સી.સી.ના કારણે તેમનું જીવન એડવેન્ચરપ્રેમી બન્યું હતું. આજે પણ તેઓ ખુબજ એક્ટીવ રીતે અલગ અલગ એડવેન્ચરમાં ભાગ લે છે. હાલ માં ૨-૩ વર્ષ પહેલા તેઓ વિશ્વના પ્રતમ મહિલા બન્યા કે જેઓ ૭૫ વર્ષ ની ઉમરે કલકતા થી કન્યાકુમારી સુધી સાઈકલિંગ કર્યું હોઈ. આમ ફક્ત એન.સી.સી.માં જોડાવાથીજ તેમના જીવનમાં આવેલા પરિવર્તન નો દાખલો આપીને યુવાનોને સૈન્ય અને એન.સી.સી.માં જોડવા માટે આહ્વાહન કર્યું હતું.


આ અભિયાનના સુત્રધાર એવા એસ.ઓ.યુ. સુમિત ટેમ્બે કે જેઓ બે વખત રાજ્યપાલ પદક અને એક વખત રાષ્ટ્રપતિ પદક થી સમ્માનિત થયેલા છે, તેઓ એ જણાવ્યું કે, તેઓ જયારે પ્રજસતાક્દીન પરેડ માટે સિલેક્ટ થઇને દિલ્હી ગયા, ત્યારે ગુજરાતમાંથી એન્જીનીયરીંગના વિદ્યાર્થી ફક્ત તેઓ એકજ હતા. અને પુરા ભારત માંથી ફક્ત ચાર. આ જોઇને તેમને એવો વિચાર આવ્યો કે, વધુને વધુ એન્જીન્યરીંગ ના વિદ્યાર્થીઓ એન.સી.સી.અને સૈન્ય ની ત્રણેય પાંખમાં જોડાય તેના માટે કંઈક કરવું જોઈએ. અને ત્યાર બાદ ત્યાંથી પરત ફરીને તેમના મિત્રો ને આ વિચાર બાબતે વાત કરતા તેઓ પણ તેમની સાથે જોડાયા અને આ અભિયાન હાથ ધરવાનું નક્કી કર્યું.


અમદાવાદમાં આ અભિયાનને અભૂતપૂર્વ સફળતા મળી છે અને લગભગ અંદાજે ૧૦૦૦૦ વિદ્યાર્થીઓ એ આ અભિયાન નો લાભ મેળવ્યો છે. તેઓ હવે આ અભિયાનને પુરા ગુજરાતમાં ચલાવવા માંગે છે. જેથી વધુ ને વધુ યુવાનો સૈન્ય તરફ આકર્ષાય અને સૈન્યમાં જોડાય.


આ અભિયાન માટે તેમને ઇન્ડસ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગ, ઈ+ફાઊંડેશન, આઈ.ઓ.સી.એલ. અને કટારિયા ઓટો મોબાઈલ તરફ થી સંપૂર્ણ સહકાર મળ્યો હતો.

Wednesday, February 9, 2011

Review of mirch masala (1985 ) in Gujarati...

क्या यह सही है?

पिछले दो दिनों से सुर्खीयो में छाई रहने वाली मायावती के जूतों वाली बात ने एक बार फिर से पुलिस को राजकारणीओ का गुलाम साबित किया है| और एक बार फिर से यह सच उजागर हुआ है की, राजकारणी भी अपने सता के मद में कितने मस्त है की अपने कार्य से विमुख तो वे है ही लेकिन साथ में अब दुसरो का मान सन्मान भी भूल गए है| और यह कोई पहला किस्सा नहीं है जहाँ किसी सरकारी अधिकारी ने नेता के लिए स्तर से नीचे गीर कर काम किया हो|  जब नारायण दत्त तिवारी उत्तर प्रदेश के मुख्य मंत्री थे तब उन्होंने एक सार्वजनिक सभा में संजय गाँधी की चप्पल उठाई थी पर जिसने चप्पल उठाई वो राजनीति में उठता ही चला गया| आख़िर १० जनपथ में सभी बड़े से बड़े कांग्रेसी नेता (जिनमे प्रधानमंत्री भी हैं) यही तो करते हैं| अभी थोड़े समय पहले गुजरात के मुख्यामंत्री नरेन्द्र मोदी की सभा में एक कलेक्टर ने उनके पैर छु कर अपने स्तर को नीचा कीया था|
ऐसे देखने को जाये तो बहुत से किस्से आप की नजर के सामने आयेंगे| लेकिन क्या यही कार्य रह गया है उच्च सरकारी अधिकारियो का, की वो नेताओ के जूते साफ़ करे, या फिर उनके तलुए चाटे| भारत में जहाँ आज भी ७० प्रतिशत लोगो को मुलभुत सुविधाए उपलब्ध नहीं है, जहाँ आज भी ४५ प्रतिशत बच्चे शिक्षा से वंचित है, जहाँ आज भी ३३,००० के करीब गावों में बिजली, पानी और स्वास्थ्य की सुविधा उपलब्ध नहीं है, वह क्या राजकारणीओ का और उच्च अधिकारिओ का यह बर्ताव जायज है?
मुझे तो यह सवाल सब से ज्यादा सताता है| आप का इस पर क्या कहना है कृपया मेरे ब्लॉग पर प्रतिभाव देकर मुझे अवगत करे|

Sunday, February 6, 2011

ग्लोबल बर्ड वोचिंग कोंफेरन्स का खिजदिया में समापन (25 to 27 नवम्बर )

गुजरात के जामनगर जिले में खिजदिया बर्ड  सेंचुरी के प्रचार के लिए गुजरात सरकार ने 3 दिन का एक कार्यक्रम आयोजित किया है | इस कार्यक्रम का नाम ग्लोबल बर्ड  वोचर्स कॉन्फरन्स  दिया गया है | इस कॉन्फरन्स में २०० से जयादा विदेशी और भारतीय पक्षी विडो  भाग ले रहे है |
 
गुरुवार को राज्य के प्रवासन मंत्री जयनारायण व्यास ने इसे खुला रखा | श्री व्यास ने अपने प्रासंगिक प्रवचन में बताया की , गुजरात में विदेशी पक्षियों   के लिए अनुकूल वातावरण और जगह मोजूद है | गुजरात में 526  से जयादा विदेशी पक्षियों की जातीय देखनो को मिलती है | इतनी सारी जातीय एक साथ शायद ही कही और जगह दिखाई देती होगी | इस बजह से पक्षियों के लिए संसोधन करने वाले लोगो के लिए ऐसी जगह हमेशा मदद पसंदीदा जगह होती है | यह  कॉन्फरन्स राज्य के प्रवासन को बढ़ावा देने की दिशा में एक और कदम है | भविष्य में इस तरह के और कार्यक्रम करके गुजरात की वन्य जीव श्रुष्टी की और प्रवासियों को आकर्षित करने के लिए और नए कदम राज्य सरकार उठाएगी |
 
इस कार्यक्रम में जामनगर के राजीव शत्रुशायाल्जी ने खिजदिया की जीव श्रुष्टी  के बारे में अपने अनुभव लोगो के साथ बांटे |

तीन  दिनों तक चलने वाली इस कॉन्फरन्स का आज आखरी दिन है| इस कार्यक्रम को सफल बनाने के लिए प्रशाशन ने काफी मेहनत की और पख्सी प्रेमियों का लोरदार स्वागत किया गया |